પાણી વિશે કેટલીક હકીકતો

26 Nov 2014
0 mins read
‘છલકાતું આવે બેડલું, મલકતી આવે નાર’ ભૂતકાળ બની ગયા છે બંને પાણી નથી ત્યાં બેડલું શી રીતે છલકાય ? નારી શી રીતે મલકાય ? હવે એ ચમકતાં બેડલાની હેલ નથી. હવે ગુજરાતણ હેતે છલકાતીને તરસ્યાંને ખોબલે પાણી પાણી, નમણી નાગરવેલ નથી અને મલકવા, એને છલકવા કૂવામાં પાણી જોઈએ. પીવાની પાણી, ખાવાને ધાન, સ્ત્રીનું રક્ષણ, સ્ત્રી સમોવડી, સ્ત્રી જાતને માન આ બધા બની ગયા છે. આજે માત્ર રાજકીય મજાક સ્ત્રીની જ સમસ્યા, સ્ત્રીનો સવાલ પાણી.
• ૧૯૫૧ની સરખામણીએ આજે ત્રીજા ભાગનું જ પાણી વાપરવા મળે છે.
• દુનિયાના છઠ્ઠા ભાગની વસ્તી ભારતમાં વસે છે.
• વિશ્વમાં જળસંશોધનો ૨૫મો ભાગ જ ભારતના ભાગે છે.
• વિશ્વની ભૂમિનો ૨૫ મો ભાગ ભારત ઘરાવે છે.
• ૧૯૫૧માં દરેક વ્યક્તિને પ્રતિવર્ષ સરેરાશ ૫૧૭૭ ધનમીટર પાણી ઉપલ્બધ હતું.
• ૨૦૦૧માં દરેક વ્યક્તિને પ્રતિવર્ષે ૧૮૨૦ ઘનમિટર પાણી ઉપલબ્ધ બન્યું.
• ૨૦૨૫માં દરેક વ્યક્તિને પ્રતિવર્ષ ૧૩૪૧ ઘનમીટર પાણી મળી શકશે તેવો અંદાજ છે.
• ૨૦૫૦ની આસપાસ જ્યારે વસ્તિ સ્થિર થઈ ગઈ હશે ત્યારે વ્યક્તિને પ્રતિવર્ષે ૧૧૪૦ ઘનમીટર પાણી મળી શકશે તેવો નિષ્ણાતોનો મત છે.
• આંતરરાષ્ટ્રીય ધોરણો પ્રમાણે જે વિસ્તારમાં દરેક વ્યક્તિને પ્રતિવર્ષ ૧૭૦૦ ઘનમીટર પાણી મળી શકતું હોય તો તેવા વિસ્તારમાં પાણીની મુશ્કેલી છે તેમ કહેવાય.
• દરેક વ્યક્તિને પ્રતિવર્ષે ૧૯૦૦ ઘનમીટર પાણી જ મળી શકતું હોય તેવા વિસ્તારને પાણીનો અછતગ્રસ્ત વિસ્તાર કહેવાય.
• દેશમાં કૃષિક્ષેત્ર સૌથી વધુ પાણી વાપરે છે. ઘરવપરાશમાં જેટલા પાણીનો ઉપયોગ થાય છે તેના કરતાં આઠગણું પાણી ખેતીમાં વપરાય છે.
• ભારતમાં દરેક ઘરમાં છાપરા પરપડતું પાણી જો એકઠું કરવામાં આવે તો તે જથ્થો માત્ર દિલ્હીની એક વર્ષની જરૂરિયાત માંડ પૂરી કરી શકે તેટલો થાય.

શહેરોનું જળસંકટ

ગામડાંઓ ભાંગવાની સાથે શહેરોનું કદ વધવાની શહેરીકરણ તરીકે ઓળખાતી પ્રક્રિયાનો વિશ્વમાં સૌથી ઓછો દર ધરાવતાં રાષ્ટ્રોમાં ભારતનું સ્થાન છે, છતાં શહેરોની વસ્તી ૨૮૫૦ લાખ પર પહોંચી છે. ગામડાં માથી શહેર તરફનું સ્થળાંતર વધતાં શહેરી વસ્તીનો ગુણાકાર થતો રહેતો હોવાથી ભારતમાં શહેરીકરણ ઝડપથી આગળ વધી રહ્યું છે.

સન ૧૯૦૧માં શહેરી વસ્તી ૧૦.૮ ટકા હતી, જે ૧૯૫૧ માં ૧૭.૩ ટકા અને ૧૯૯૭ માં ૨૫.૭ ટકાએ પહોંચી હતી. આવી વૃધ્ધિ ચાલુ રહી તો સન ૨૦૨૦ સુધીમાં અડધું ભારત શહેર જીવતું હશે. મુંબઈ, કલકત્તા અને દિલ્હીની વસ્તી એક કરોડ થી વધી ગઈ છે. તો દસ લાખથી વધુ વસ્તી ધરવતાં શહેરોની સંખ્યા ૨૩ થઈ છે. તમામ શહેરોમાં નાગરિકોને વપરાશ માટે પાણી પૂરું પાડવાનું કામ મુશ્કેલ બનતું જાય છે. તાજા પાણીના તમામ સ્ત્રોતનું અતિ દોહન કરી નાંખવા છતાં અછત અકબંધ છે. નદી, કૂવા, તળાવ કે ડેમમાં એકત્ર થતો જળજથ્થો શહેરી પ્રજાની માંગ સંતોષવા અપૂરતો સાબિત થતાં ભૂગર્ભજળનો ઉપયોગ આડેધડ થવા લાગ્યો છે. ભૂગર્ભજળ પુરવઠા પર આધાર રાખતા શહેરો આસપાસ પાણીના તળ ઉંડા જવા લાગ્યા છે. અમદાવાદમાં ૧૯૬૫ પછી ભૂગર્ભજળ સપાટી ૯૦ મીટર જેટલી ઉંડે ઉતરી ચૂકી છે.

પાણી સંગ્રહ જરૂરી છે
અમદાવાદમાં જૂની બાંધણીના મકાનો ધરાવતી પોળોમાં કૂઈ તેમજ ભૂગર્ભ પાણીના ટાંકા બાંધી તેમાં વરસાદનું પાણી ઉતારવામાં આવતું હતું.
પાણી બચાવી લેવાની બીજી પધ્ધતિ
શહેરમાં કોઈ ફ્લેટનું ધાબુ ૧૦૦ ચોરસ મીટરનું હોય અને ત્યાં સરેરાશ ૨૪ ઈંચ વરસાદ પડે તો ધાબા પર પાણી વહી જવાના પાઈપ બંધ કર્યા પછી ૨૪ ઈંચ પાણી એકત્ર થવું જોઈએ. મતલબ કે માત્ર એક ફ્લેટના ધાબા પર પડતાં વરસાદમાં ૨૪ ઈંચનો સંગ્રહ કરાય તો વાર્ષક ક્ષમતા નીચે મુજબ ગણો.
છતનું ક્ષેત્રફળ ટ વરસાદનું પાણી = એકત્રિત જળનો જથ્થો (ક્યુ.મી.)
પ્લોટનું ક્ષેત્રફળ = ૧૦૦ ચો.મીટર (૧૨૦ ચોરસવાર)
સરેરાશ વરસાદનું પ્રમાણ= ૬૦૦ મી.મી. અથવા ૨૪ ઈંચ
વરસાદનો જથ્થો = પ્લોટનું ક્ષેત્રફળ ટ વરસાદનું પાણી = ૧૦૦ ચો.મી. ટ ૬૦૦ મી.મી.= ૬૦ કયુબિક મીટર અર્થાત ૬૦ હજાર લીટર.
ગ્રામીણ નાગરિકો માટે પાણી વપરાશનું ધોરણ
કેન્દ્ર દ્વારા ગ્રામીણ પાણી પુરવઠા અંતર્ગત ગાઈડલાઈન તેયાર કરાયેલ છે જે અનુસાર ગુજરાતના નાગરિકો માટે દૈનિક પાણી વપરાશનું ધોરણ નીચે મુજબ તૈયાર કરવામાં આવ્યું છે.

વપરાશનો જથ્થો (વ્યક્તિદીઠ જથ્થો) પીવા માટે ૩ લીટર, રાંધવા માટે ૫ લીટર, ન્હાવા માટે ૧૫ લીટર, વાસણ ધોવા ૧૦ લીટર, ઘરની અન્ય સફાઈ માટે ૧૦ લીટર, કુલ ૪૩ લીટર

ગામડાઓ પોતાના પાણીની જરૂરિયાત પૂરી કરી શકે તે માટે કેન્દ્ર સરકાર સ્વજલધાર યોજનાના હેતુ ગ્રામપંચાયતોને પાણી અને સ્વચ્છતાની પોતાની જવાબદારી સંભાળી શકે તેટલી સક્ષમ બનાવવા તથા દરેક ગામમાં રોજનું માથાદીઠ ઓછામાં ઓછું ૪૦ લીટર પીવાલાયક પાણી મળતું થાય તે છે. આ કાર્યક્રમનો લાભ લઈને દેશભરના ગામડાં પેટાજળની બાબતે પગભર થઈ શકે તથા ગામના લોકો જાતે પગલાં લઈને ગામમાં પેટાજળ અને સ્વચ્છતાની સુવિધાઓનું આયોજન, અમલ તથા વ્યવસ્થાપન કરે એ રીતે કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારની સહાયથી ચાલે છે. પરંતુ તેમાં ઓછામાં ઓછા ૧૦ ટકા લોકો ફાળો જરૂરી છે. ગામજનો લોકફાળો ભેગો કર્યા પછી કામની શરૂઆતથી માંડીને કાળ પૂરું થાય તેની જાળવણી સુધીની બધીજ જવાબદારી ઉપાડવાની છે. સરકાર માત્ર ખૂટતી રકમ અને ઈજનેરી મદદ પૂરી પાડે છે. ગુજરાતમાં આ જવાબદારી વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન (વાસ્મો) સંભાળે છે. જેથી ગામજનો તથા સરપંચોલે તેમનો સંપર્ક સરાપ માટે કરવો ગુજરાત સરકારે આ કાર્યક્રમ અન્વયે ગૃહનિર્માણ વિભાગ દ્વારા ઠરાવ ૫૨ચ/૨૦૦૨, ૧૦૮૨ ચ તારીખ ૨૪-૧૦-૨૦૦૨ના રોજ કરેલ છે.

દેવશી પટેલ
દેવશી પટેલ જાણિતા લેખક છે.
સંકલનઃ કંચન કુંભારાણા
Posted by
Get the latest news on water, straight to your inbox
Subscribe Now
Continue reading